Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રૈયાધારમાં ભરવાડ નવોઢા રાધુનું બેભાન હાલતમાં મોતઃ ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતાં

રૈયાધારમાં માવતરે હતીઃ અછબડા નીકળ્યા બાદ તબિયત બગડ્યાનું સ્વજનોનું કથન

રાજકોટ તા. ૨૫: રૈયાધારમાં શેરી નં. ૧માં બંીસધર સામે રહેતી રાધુબેન સંજય જોગરાણા (ઉ.૨૧) નામની ભરવાડ નવોઢાનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

રાધુબેન સાંજે આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના  દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં યુનિવર્સિટીના પીએસઆઇ બી. જી. ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર રાધુબેન બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. ત્રણ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં. તેના પતિ સંજય દેવાભાઇ જોગરાણા છુટક મજૂરી કરે છે. તેણી હાલમાં માવતરના ઘરે હતી. પિતાનું નામ દેવાભાઇ સાદાભાઇ બાંભવા છે, જે રૈયાધારમાં જ રહે છે. પરિવારજનના કહેવા મુજબ અછબડા નીકળ્યા બાદ રાધુબેનની તબિયત સારી નહોતી.

(1:11 pm IST)