Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઠંડીએ પ્રથમ ભોગ લીધો પાંજરાપોળ પુલ નીચે ઠુઠવાઇ જતા આદીવાસી યુવાનનું મોત

રાજકોટ, તા., ૨: શહેરના રામનાથપરામાં રખડતુ ભટકતુ જીવન જીવતા આદીવાસી યુવાનનું પાંજરાપોળના પુલ નીચેથી ઠંડીમાં ઠુઠવાઇ જવાથી મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ શહેરના રામનાથપરા સ્મશાન પાસે પાંજરાપોળના પુલ નીચે એક અજાણ્યો પુરૂષ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ના ઇએમ ટીમ મેહુલભાઇએ તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ કરતા થોરાળા પોલીસ મથકના એએસઆઇ ગોકુળભાઇ તથા રાઇટર કિશોરભાઇએ સ્થળ પર પહોંચી તપાસ કરતા આ યુવાનનું નામ રાકેશ ઇદોરીયાભાઇ ગુડીયા (ઉ.વ.રપ) હોવાનું અને તે રખડતુ ભટકતું જીવન ગાળતો હોવાનું જાણવા મળ્યું હતું તે છેલ્લા ત્રણ વર્ષથી પરીવારથી અલગ એકલો રહેતો હતો. તે ત્રણ ભાઇમાં નાનો હતો તેનું ઠંડીના કારણે મોત નિપજયું હોવાનું પોલીસે સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

(3:34 pm IST)