Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સિઝેરીયનથી પુત્રના જન્મ બાદ તબિયત બગડતાં પરપ્રાંતિય પરિણીતાનું મોત

૮૦ ફુટ રોડ પર મફતીયાપરાના પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: ગમારા પેટ્રોલ પંપ પાસે ૮૦ ફુટ રોડ પર યુવરાજનગર મફતીયાપરામાં રહેતી સંજુબેન વિજયભાઇ યાદવ (ઉ.૨૪)ને સારા દિવસો જતાં હોઇ ડિલીવરી માટે ૬ તારીખે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સિઝેરીયનથી પુત્રનો જન્મ થયા બાદ તબિયત બગડતાં વધુ સારવાર માટે ૭મીએ ગાયત્રીનગર રોડ પરની કુંદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. પરંતુ ત્યાં મોત નિપજ્યું હતું. ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ખારવાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના પતિ છુટક મજૂરી કરે છે. મુળ યુપીના વતની છે. જન્મ સાથે જ બાળકે માતા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(3:50 pm IST)