Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ટ્રાવેલ એજન્ટોના પરિવારો માટે શુક્રવારે રાસોત્સવ

ટ્રાવેલ એજન્ટ એસો.ઓફ સૌરાષ્ટ્ર દ્વારા ખાતે આયોજનઃ નિઃશુલ્ક પાસ મેળવી લેવા

રાજકોટ,તા.૯: ટ્રાવેલ એજન્ટ એસોસીએશન ઓફ સૌરાષ્ટ્ર દ્વારા આગામી તા.૧૧ને શુક્રવારના રોજ રજવાડી દાંડીયા ગ્રાઉન્ડ ખાતે રાસ-ગરબાના કાર્યક્રમનું  આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટ્રાવેલ એજન્ટોના પરિવારો જાણીતા કલાકારોના સુર સાથે મન મુકીને ગરબે ઝુમશે. ટ્રાવેલ એજન્ટોના પરિવાર માટે ફ્રી પાસની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

ટીએએએસ (ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર) દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ વાળી શેરીમાં કે.જી.ધોળકીયા સ્કૂલની સામે આવેલા રજવાડી દાંડીયા ગ્રાઉન્ડ ખાતે ટ્રાવેલ્સ એજન્ટો માટે ખાસ તા.૧૧ને શુક્રવારના રોજ સાંજે ૭:૩૦ કલાકે રાસ-ગરબાના કાર્યક્રમનું આદેશ ટ્રાવેલ્સ પ્રા.લી.ના સહયોગથી  કરવામાં આવ્યું છે.

પાસ કલેકશન સેન્ટર તરીકે દિપક ટ્રાવેલ્સ ૨૩-૩૩, ન્યુ જાગનાથ, આગમ ટૂર્સ-૧૪ પંચનાથ પ્લોટ-૩૦૧, ગાંધી ભવન, નીજ ટ્રાવેલ્સ ૨૨ ન્યુ જાગનાથ રહેશે. આ રાસ ગરબાના કાર્યક્રમમાં ટ્રાવેલ એજન્ટો માટે ફ્રી પાસ રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે આદેશ ટ્રાવેલ્સના ગોપાલભાઈ અનડકટ, એસો.ના પ્રમુખ જયેશભાઈ કેશરીયા, દિપકભાઈ રાઠોડ, આગમ ટૂર્સના ઋષભભાઈ ગાંધી, બ્રિજેશભાઈ જોધપુરા, કૌશીકભાઈ ટાંક, બાદલભાઈ લુણાગરીયા, ચિરાગભાઈ ઘોરડા અને કલ્પેશભાઈ સાવલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે 'અકિલા'ના સિનિયર પત્રકાર શ્રી જયદેવસિંહ જાડેજા, તેમજ શ્રી મનિષભાઈ સેજપાલ (નિરવ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લીંક), ગોપાલભાઈ અનડકટ, એસો.ના પ્રમુખ જયેશભાઈ કેશરીયા, દિપકભાઈ રાઠોડ, આગમ ટૂર્સના ઋષભભાઈ ગાંધી, બ્રિજેશભાઈ જોધપુરા, કૌશીકભાઈ ટાંક, બાદલભાઈ લુણાગરીયા, ચિરાગભાઈ ઘોરડા અને કલ્પેશભાઈ સાવલીયા નજરે પડે છે.

(3:46 pm IST)