Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

દિક્ષાર્થી પલકબેનનું બૃહદ રાજકોટ સ્થા.જૈન સંઘના ઉપક્રમે તા.૨૦ના રોજ સન્માનઃ શોભાયાત્રા

પૂ.ધીરગુરૂદેવના હસ્તે પૂ.હીરાબાઈ મ.સ.ના પરિવારમાં દીક્ષા અંગીકાર કરનાર : જૈનાચાર્ય પૂ.જશાજી સ્વામી- ચોકથી શોભાયાત્રાઃ વિરાણી પૌષધ શાળા ખાતે સન્માન સમારોહ

રાજકોટ,તા.૯: શ્રી બૃહદ રાજકોટ સ્થા.જૈન સંઘોના ઉપક્રમે વિરાણી પૌષધશાળા ખાતે તા.૨૦ને રવિવારે સવારે ૮ કલાકે વાંકાનેર નિવાસી હાલ રાજકોટ દીક્ષાર્થી કુ.પલકબેન નિમેષભાઈ દોશીનો સન્માન સમારોહ યોજાયેલ છે.

કુ.પલકબેન આગામી ૧ ડીસેમ્બરના ઘાટકોપર મોટા સંઘમાં દીક્ષા દાનેશ્વરી પૂ.ધીરજમુનિ મ.સા.ના વરદ્ હસ્તે શાસનચંદ્રિકા જશ પરિવારના જયેષ્ઠા સાધ્વીરત્ના પૂ.હરીબાઈ મ.સ., પૂ.જયોતિબાઈ મ.સ., પૂ.ભારતીબાઈ મ.સ.ની સમીપે ભાગવતી દીક્ષા અંગીકાર કરશે.

તા.૧૯ના ગોંડલ ગાદીના ગામે સન્માન અને તા.૨૦ના સવારે ૭:૧૫ કલાકે કરણપરામાં આવેલા જૈનાચાર્ય પૂ.જશાજી સ્વામી ચોકથી શ્રીમતી સર્યૂબેન કાંતિલાલ વિરાણી પરિવારના રાજેશ, કૌશિક, ચેતન પ્રેરિત દીક્ષાર્થીની શોભાયાત્રા અને ૮ કલાકે પૂ.સુશાંતમુનિ મ.સા. તથા પૂ.હીરાબાઈ મ.સ., પૂ.વનિતાબાઈ મ.સ.આદિ, પૂ.રંજનબાઈ મ.સ.આદિ, પૂ.ભાનુબાઈ મ.સ. આદિ, પૂ.પ્રભાબાઈ મ.સ. આદિ, જશ- ઉત્તમ- પ્રાણ પરિવાર તથા પૂ.કિરણજી મ.સ. આદિ, અજરામર સંપ્રદાય અને રાજકોટમાં બિરાજીત પંચમહાવ્રતધારીઓની  નિશ્રામાં બૃહદ્ રાજકોટના સંઘોવતી સન્માન કરાશે.

પૂ.હીરાબાઈ મ.સ.ના પરિવારમાં ૧૯વર્ષ બાદ દીક્ષાનો પ્રસંગે હોઈ સર્વત્ર ઉમંગ છવાયો છે. વિરાણી પૌષધશાળામાં પૂ.ધર્મીલાજી મ.સ. ઠાણા- ૨ ચાતુર્માસ બિરાજે છે. વિવિધ ધર્માનુષ્ઠાન ઉજવાઈ રહેલ છે.

(3:32 pm IST)