Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કાલે જોહર ગેલેરીના નવા શોરૂમમાં ભુદેવોને નિઃશુલ્ક રાખડી અપાશે

કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ નરેન્દ્રભાઈ અને વિજયભાઈને પોસ્ટથી રાખડીઓ મોકલશે

રાજકોટઃ જોહર કાર્ડસ દ્વારા તેમની પરંપરા મુજબ છેલ્લા બાવન વર્ષથી કર્મકાંડી બ્રાહ્મણભાઈઓને તેમજ પુજારીશ્રીઓને તેમના યજમાનને બાંધવા માટે (વિનામૂલ્યે) નિઃશુલ્ક રાખડીઓ આપવામાં આવે છે. આ વર્ષે જોહર કાર્ડસ ગ્રુપ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને પોસ્ટની ટીકીટ લગાડીને કવર તૈયાર કરવામાં આવેલ છે. તેઓને રાજકોટના તમામ કર્મકાંડી બ્રાહ્મણભાઈઓ તથા પુજારીઓ આર્શીવાદ સાથે રાખડી મોકલશે. આ વર્ષ રાખડી વિતરણ જોહરકાર્ડસની સીસ્ટર કન્સલ્ટ જોહર ગેલેરી, પ્રેમ મંદીર રોડ, ગાર્ડન સામે, કાલાવડ રોડ ખાતેથી તા.૧૪ બુધવારના રોજ રાત્રે ૯ થી ૧૦:૩૦ સુધી રાખડીઓનું વિતરણ કરવામાં આવશે. તેમ યુસુફભાઈ જોહરકાર્ડસ વાળાએ યાદીમાં જણાવ્યું છે.(૩૦.૩)

 

(3:51 pm IST)