Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

પૂનમ, રક્ષાબંધન, સ્વાતંત્ર્યદિવસ નિમિતે

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ગુરૂવારે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર- સન્યાસ ઉત્સવ

આયોજક - સંચાલક સ્વામી પ્રેમ મૂર્તિ (સ્વીત્ઝર્લેન્ડ) સ્વામી સત્ય પ્રકાશ : ધ્યાન - ભકિત - ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસર : કાર્યક્રમનું સંચાલન પૂર્વાદીદી

રાજકોટ : છેલ્લા ૩૪ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે આગામી તા.૧૫ને ગુરૂવારના રોજ પૂનમ, રક્ષાબંધન તથા સ્વતંત્રતા દિવસ નિમિતે હરસાલની માફક તથા હર પૂનમે શિબિરનું આયોજન ઓશો સન્યાસી સ્વીત્ઝરલેન્ડના સ્વામી પ્રેમમૂર્તિ દ્વારા કરવામાં આવ્યુ છે. શિબિરનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરવાના છે. શિબિર બપોરના ૩ થી શરૂ થશે અને રાત્રીના ૮:૩૦ વાગ્યે સમાપન થશે. શિબિર દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, સ્વામી દેવ રાહુલ (મિસ્ત્રી નીતિનભાઈ)નું વિશેષ પ્રવચન, સન્યાસ ઉત્સવ, સંધ્યા સત્સંગ, બાદ પ્રસાદનંુ આયોજન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમનું સંચાલન પૂર્વાદીદી કરશે. ઓશો શિબિરનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

 

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ૪ વૈદવાડી, ડી માર્ટની પાછળની શેરી, રાજકોટ.

વિશેષ માહિતી માટે તથા એસએમએસથી નામ નોંધણી સ્વામી સત્ય પ્રકાશ - ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ-૯૮૨૪૮ ૮૬૦૭૦ને કરાવી દેવા યાદીમાં જણાવાયુ છે.

(1:12 pm IST)