Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જીતુભાઇ ચતવાણીના દુઃખદ નિધનથી પરિવારજનોમાં ઘેરાશોકની લાગણી

રાજકોટઃ પૂ. રણછોડદાસજીબાપુના અનન્ય સેવક અને ન્યારા આશ્રમના ટ્રસ્ટી શ્રી જીતુભાઇ ચતવાણીનું દુઃખદ અવસાન થતાં પરીવારજનો અને સગાસંબધીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. તેઓને હૃદયરોગનો હુમલો ગંભીર નિવડયો હતો. સ્વ. જીતુભાઇના દુઃખદ અવસાનથી તેમના નિવાસ સ્થાને સગાસંબધીઓ દોડી ગયા હતા. તસ્વીરમાં મીનાબેન ચગ, હિતેષભાઇ ચગ, પરેશભાઇ ચગ, નલીનભાઇ સોઢા સહિતના પરીવારજનો ઉપસ્થિત છે. સદ્ગત જીતુભાઇ ચતવાણીની સ્મશાન યાત્રા આજે સાંજે તેમના નિવાસસ્થાનેની નીકળશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:18 pm IST)