Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા રવિવારે નિઃશુલ્ક નોટબુક-ચોપડા વિતરણ

રાજકોટ તા. ૧૧ : દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ખવાસ રજપુત સમાજના સામાજીક વિકાસને ધ્યાનમાં રાખી શિક્ષણ અને રોજગાર માટેની તકો વધારવા પ્રયત્નો હાથ ધરાયા છે.

જેના ભાગરૂપે આગામી તા. ૧૪ ના રવિવારે ૧૦ થી ૧ શ્યામનગર ૧/૩ દેશળદેવ હોલ, નાના મૌવા મેઇન રોડ, રાજનગર ચોક ખાતે હરીવંદના કોલેજ પરિવાર (મુંજકા) ના દાતા ડો. મહેશભાઇ ચૌહાણ તથા સર્વેશ્વરભાઇ ચૌહાણના હસ્તે ખવાસ રજપુત સમાજના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક-ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. વિદ્યાર્થી દીઠ પાંચ નોટબૂક ચોપડાનો સેટ અપાશે. લાભ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ છેલ્લી માર્કશીટની નકલ સાથે ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઇ ચૌહાણ, સાવનભાઇ રાઠોડ, દેવસિંહભાઇ પરમાર, રૂપેશભાઇ પરમાર, પિન્ટુભાઇ પરમાર, મહેન્દ્રભાઇ ચૌહાણ, રાહુલભાઇ મકવાણા, સંદીપભાઇ જાદવ, અક્ષયભાઇ જાદવ, ધવલભાઇ ચૌહાણ, કેવીનભાઇ ચૌહાણ, રવિભાઇ રાઠોડ, પ્રકાશભાઇ રાઠોડ, શનિ રાઠોડ,  રીકુંજ સરવૈયા, સત્યજીત પરમાર, હાર્દીક મકવાણા, હાર્દીક સિંધવ તથા સંસ્થાના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા દેશળદેવ યુવા એજયુ. ટ્રસ્ટના યુવાનો નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:42 pm IST)