Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નવાગામ દેવનગરમાં માનસિક બિમારીથી કંટાળી કોળી વૃદ્ધા દુધીબેનનો આપઘાત

કોળી વૃદ્ધાએ ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા. ૧૧ :. નવાગામ દેવનગર ઢોરે રહેતા કોળી વૃદ્ધાએ માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ નવાગામ દેવનગર ઢોરે રહેતા દુધીબેન બટુકભાઈ સોલંકી (ઉ.વ. ૬૦) એ પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ આર.કે. રાઠોડ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક દુધીબેને માનસિક બિમારીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.

(3:37 pm IST)