Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગુરૂપૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણું ગુરૂ દેવો મહેશ્વર :

ગુરૂ સાક્ષાત્ પરબ્રહ્મ : તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ

ગુરૂપુર્ણિમાના પાવન પ્રસંગે ગુરૂ મહિમા. ગુરૂ પુર્ણિમા એટલે વ્યાસપુર્ણિમા. ગુરૂપૂજનનો અનેરો અવસર. વેદ વ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી પણ તેનો સાર માત્ર બે વચનમાં કરવો હોય તો,

અષ્ટાદશા પુરાણમુ વ્યાસસ્ય વમન દુયં ા

પરીપક્ષરાય પુણ્યાય પાપાય પરપિડયમ્ ાા

અર્થાત - પરોપકાર કરવો અને પુણ્ય કરવુ. પાપ ન કરવુ અને પર પિડન વૃતિથી દૂર રહેવુ એવો સંદેશ આપે છે.

જીવનમાં ગુરૂ વિના જ્ઞાન પ્રાપ્ત કરી શકાતુ નથી.

જ્ઞાન એટલે વિદ્યા. વિદ્યા ૩૨ પ્રકારની  છે અને કળા ૬૪ પ્રકારની છે. મુખ્ય બે પ્રકા સહવિદ્યા એટલે સા વિદ્યા મા વિમુકતયે અને અસહવિદ્યા અસુરીવિદ્યા  જે બધી વિદ્યાઓ શ્રી કૃષ્ણં વન્દે જગત ગુરૂમનું બિરૂદ પ્રાપ્ત કરેલ છે. એવા કૃષ્ણ પરમાત્માએ સાંદિપની ગુરૂના આશ્રમમાં રહીને પ્રાપ્ત કરેલ. રામચંદ્ર ભગવાનને પણ ગુરૂ વશિષ્ઠજીના સાનિધ્યમાં જ્ઞાન પાર્જન કરેલ.

ગુરૂ એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. ગુરૂજી અંધકારને દૂર કરી પ્રકાશ તરફ પથદર્શક બને.

પ્રજવલિતો જ્ઞાનમય પ્રદિપઃા જ્ઞાન રૂપી દિપક પ્રજજવલિત કરે છે. ગુરૂ દતાત્રેયજીએ ચોવીસ ગુરૂ કરેલા એ બધા જ પાસેથી ગુણગ્રાહી બનીને સાર ગ્રહણ કરેલો.

કેટલાક ગુરૂ શ્રીફળ જેવા હોય જે બાહ્ય કઠીન અંદર મુલાયમ હોય કોઇક ગુરૂ બદરીફળ (બોર) જેવા હોય જે બહારથી પોચા પણ અંદરથી કઠણ હોય છે.

ગુરૂ બીન જ્ઞાન ન ઉપજે ગુરૂ બિન મીટે ન ભેદ,

ગુરૂબીન સંશય ન મીટે જય જય શ્રી ગુરૂદેવ ાા

ગુરૂ વિના જ્ઞાનની પ્રાપ્તી થતી નથી. શિષ્યત્વની લાયકાત મુજબ જ્ઞાન પરંપરા  પ્રાપ્ત કરાવે છે.

વિદ્યા જ્ઞાન કર્મકૌશલ ટેકનીકલ કે અન્ય કાર્યો ગુરૂ પરંપરાથી પ્રાપ્ત થાય છે. આગામી ગુરૂપુર્ણિમાના શુભ અવસરે રાજકીય સંસ્કૃત પાઠશાળા જામનગર (છોટેકાશી)ના ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના છાત્રજનો પ્રાચ્ય છાત્ર મંડળ દ્વારા શ્રી જામરણજીતસિંહજી છાત્રાલયમાં ગુરૂજીના પૂજન અર્ચનનો અમુલ્ય અવસર પ્રાપ્ત થયેલ છે. ગુરૂપુર્ણિમાના પ્રાતઃકાળે પ્રથમસત્રમાં દિવગત ગુરૂજનો આદ્યજગદગુરૂ શંકરાચાર્યજી, હાથીભાઇ શાસ્ત્રી, ત્રંબકરામ શાસ્ત્રી તથા પૂ.મોટાભાઇ શ્રી મહાશંકરભાઇ શાસ્ત્રીનું પૂજન કરી વર્તમાન ગુરૂપદે બિરાજતા મહેશભાઇ શાસ્ત્રીનું પુજન અર્ચન આર્શિવચન ગ્રહણ કરાશે. શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળા જામનગર (છોટેકાશી)ના પ્રાસ્યછાત્રા મંડળ દ્વારા પુર્વ છાત્રોનો સન્માન સમારંભ એવોર્ડ શાલ પ્રમાણપત્ર રૂદ્રાક્ષમાલ્યાર્પણ કાર્યક્રમ તથા મંડળ રચના ઉદ્દેશ પ્રમુખ મંત્રી આદિની વરણી તથા ભોજન સમારંભ પ્રસાદ ગ્રહણ એવોર્ડના દાતા સ્વ. રતીલાલ અમૃતલાલ જસદણ હસ્તે વિજયભાઇ શાસ્ત્રી જસદણવાળા. શાલના દાતા શ્રી પરેશભાઇ ઠાકર હમાપરવાળા ભોજન દાતા રાજેશભાઇ વ્યાસ આદરણાવાળા, પ્રમાણપત્રના દાતા મુકેશભાઇ વ્યાસ અમદાવાદ તથા રૂદ્રક્ષમાલા દાતા ઋતુરાજશાસ્ત્રી શિહોરનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. (૪૫.૧૧)

વિજયભાઈ વ્યાસ

શાસ્ત્રી (જસદણવાળા)

મો. ૦૯૪૨૬૨ ૮૯૦૩૫

(3:29 pm IST)