Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મહિલા તબિબના આપઘાતનું રહસ્ય અકબંધઃ માનસિક હતાશામાં ગરકાવ થવાનું કારણ શું?

રાજકોટ તા. ૧૦: દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર પાછળ જગન્નાથ પ્લોટમાં રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં સાસરૂ ધરાવતી પૂજાબેન વિનીતભાઇ બેડિયા (ઉ.૨૭) નામના તબિબનો અભ્યાસ કરી ચુકેલા પટેલ પરિણીતા ગઇકાલે જાનકી પાર્કમાં પિતા જીતુભાઇ ગોંડલિયાના ઘરે બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ તેણીએ ઝેરી દવાથી આત્મહત્યા કર્યાનું ખુલ્યું હતું. માનસિક રીતે ભાંગી જવાથી આ પગલું ભર્યાની અટકળ દર્શાવાઇ હતી. પરંતુ માનસિક હતાશામાં ગરકાવ થવાનું કારણ શું? તે રહસ્ય અકબંધ રહ્યું છે.માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે.એ. ખાચર અને રવિરાજસિંહે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર પૂજાબેનના લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલા થયા હતાં. તેણીએ ચાઇનામાં એમબીબીએસ કર્યુ હતું અને હાલમાં બ્યુટી પાર્લર ચલાવવા સાથે પતિ સાથે મેટોડાની ફેકટરીનું કામ પણ સંભાળતા હતાં. પરમ દિવસે જ તેણી પિતાના ઘરે આવ્યા હતાં અને એ પછી બાથરૂમમાં બેભાન થઇ જતાં મોત થયું હતું. બનાવ આપઘાતનો હોવાનું ખુલતાં પોલીસે સાચુ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(3:15 pm IST)