Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વોર્ડ નં. ૧૭ની ન્યુ રામેશ્વર સોસાયટીમાં ભૂગર્ભ ગટર એક મહિનાથી છલકાઈ રહી છેઃ ફરીયાદ નિકાલ કરવામાં તંત્ર ખો આપે છેઃ રોગચાળાનો ભય

રાજકોટઃ. શહેરના વોર્ડ નં. ૧૭માં આવેલ ન્યુ રામેશ્વર સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરની ગંદકી જાહેર રોડ પર છલકાઈ રહી છે. આ બાબતે લતાવાસીઓએ અનેક ફરીયાદો કરવા છતા તેનો કોઈ ઉકેલ આવ્યો નથી કેમ કે ભૂગર્ભ ગટરની ફરીયાદ કરવા જનારને અધિકારીઓ 'આ અમારા વોર્ડમાં ન આવે' તેવા ઉડાઉ જવાબો આપી અને ખો આપી રહ્યા છે જ્યારે બીજી ત રફ ભૂગર્ભ ગટરની ગંદકીને કારણે પીવાના પાણી સાથે ગંદુ પાણી ભળી જવાની ફરીયાદો પણ ઉઠી છે, ત્યારે આ વિસ્તારમાં રોગચાળાનો ભય ઉભો થયો છે. આથી વહેલી તકે આ વિસ્તારની ભૂગર્ભ ગટર સફાઈની સમસ્યા ઉકેલવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે. તસ્વીરમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રોડ પર છલકાઈ રહેલુ નજરે પડે છે.

(3:58 pm IST)