Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

રાજકોટ ખાડાનગર બન્યું : જોખમી ખાડાઓ કોઇનો જીવ લ્યે તે પહેલા તંત્ર જાગે : કોંગ્રેસ

રાજકોટ : શહેરમાં આડે-ધડ રસ્તાઓ ખોદી નાંખવામાં આવતા આવા ખાડા વાળા રસ્તાઓ જોખમી બન્યા છે. કોન્ટ્રાકટરો આવા ખાડાની ફરતે બેરીગેટ કે કોઇ સુચના બોર્ડ લગાવતા નહીં હોવાથી રાત્રે આ ખાડા જોખમી બની જાય છે ત્યારે આવા ખાડાઓ કોઇનો જીવ લ્યે તે પહેલા તંત્ર વાહકો જાગે અને આવા ખાડાઓ ફરતે આડસ મૂકવાની વ્યવસ્થા કરાવે તેવી માંગ કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ ઉઠાવી છે. તસ્વીરમાં જોખમી ખાડા નજરે પડે છે. (૮.૧૯)

 

(3:54 pm IST)