Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

આવતીકાલે રાજકોટમાં યોજાનાર સંમેલનમાં બક્ષીપંચ સમાજ ઉમટી પડે : નરેન્દ્રભાઈ સોલંકી

રાજકોટ, તા. ૧૫ : લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા આવતીકાલે તા.૧૬ના મંગળવારે પવનપુત્ર ચોક ખાતે બક્ષીપંચ સમાજનું મહાસંમેલન યોજાનાર છે. જેમાં સમસ્ત બક્ષીપંચ સમાજના ભાઈ - બહેનોને ઉમટી પડવા નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા અનુરોધ કરાયો છે. આવતીકાલે આયોજીત બક્ષીપંચ સમાજના સંમેલનમાં આહિર, પ્રજાપતિ, દરજી, લુહાર, કોળી, કડીયા સહિતના સમાજના ભાઈ - બહેનો ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાના સમર્થનમાં ઉપસ્થિત રહેનાર હોય જેમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર-કચ્છ બક્ષીપંચ મોરચાના ઈન્ચાર્જ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા અપીલ કરાઈ છે.

(4:23 pm IST)