Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડની મીટીંગમાં સૌરાષ્‍ટ્ર- કચ્‍છની ૮ લોકસભા બેઠકો ઉપર સોમ- મંગળ ચર્ચા થશે

રાજકોટઃ લોકસભા ચૂંટણીનું તા.૨૩ એપ્રીલે મતદાન યોજાનાર છે. ત્‍યારે શાસક પક્ષ ભાજપ દ્વારા ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે સેન્‍સ પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. સેન્‍સનો કાર્યક્રમ પત્‍યા બાદ તા.૧૭, ૧૮, ૧૯ના રોજ ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળનાર છે. જેમાં તમામ લોકસભાના નિરીક્ષકો પોતાનો અભીપ્રાય રજુ કરશે.

પાર્લામેન્‍ટ્‍્‌રી બોર્ડની બેઠકમાં સૌરાષ્‍ટ્રની ૮ લોકસભા બેઠક ઉપર તા.૧૮ને સોમવાર તથા તા.૧૯ને મંગળવારના રોજ ચર્ચા કરવામાં આવશે. જેમાં તા.૧૮ના રોજ જામનગર, અમરેલી, ભાવનગર તથા સુરેન્‍દ્રનગરના દાવેદારો ઉપર ચર્ચા થશે. જયારે તા.૧૯ને મંગળવારે રાજકોટ, કચ્‍છ, પોરબંદર અને જુનાગઢ લોકસભા બેઠક માટે ઉમેદવાર નકકી કરવા કવાયત હાથ ધરાશે.

(4:11 pm IST)