Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

શનિવારે જિગર જોષીના કાવ્ય સંગ્રહ 'હથેળીમાં સાક્ષાત્ સરસ્વતી' નું પ્રાગટય અને કવિ સંમેલન

રાજકોટ તા. ૧૪ : જીવનકલા ફાઉન્ડેશન રચના સાહિત્યિક વર્તૂળ અને ગઝલ એમ ત્રણેયના સંયુકત ઉપક્રમે રાજકોટના યુવા કવિ જીજ્ઞર જોષી 'પ્રેમ' ના નવા કાવ્ય સંગ્રહ 'હથેળીમાં સાક્ષાત સરસ્વતી' નો પ્રાગટય સમારોહ અને કવિ સંમેલન તા.૧૬ ના શનિવારે રાત્રે ૯ વાગ્યે પ્રેમ મિનિ ઓડીટોરીયમ, એસ.એન.કે. સ્કુલ, યુનિ.રોડ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં સંસ્થાના વડા મધુકાન્ત જોશી સંસ્થાનો પરિચય આપશે. શ્રેષ્ઠ ગીત કવિ દિલીપ જોશીના હસ્તે પૂસ્તક પ્રાગટય, વરિષ્ઠ કવિ મહેન્દ્ર જોશી અને સંજુ વાળા પુસ્તક પ્રતિભાવ રજુ કરશે. પત્રકાર વકતા જવલંત છાયા સંચાલન સંભાળશે. કાર્યક્રમના બીજા ભાગમાં શહેરના શ્રેષ્ઠ કવિઓ સર્વશ્રી મહેન્દ્ર જોશી, અરવિંદ ભટ્ટ, સંજુવાળા, લલિત ત્રિવેદી, નીતિન વડગામા, મધુકાન્ત જોશી, દિપક ત્રિવેદી, જવલંત છાયા, રાકેશ હાંસલિયા, જિગર જોશી 'પ્રેમ' કવિ સંમેલન જમાવશે. કવિ સંમેલનનું સંચાલન ભાર્ગવ ઠાકર કરશે. સાહિત્ય પ્રેમીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જીવનકલા ફાઉન્ડેશન (મો.૯૯૨૫૧ ૫૭૪૭૫) દ્વારા અનુરોધ કરાયો છે.

(3:30 pm IST)