Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ઘંટેશ્વર પાસે અરિહતનગરમાં ચારિત્ર્યપરશંકા કરી પૂર્વીબેન ચૌહાણને પતિ રાજેશનો ત્રાસ

રાજકોટ તા.૧૨: જામનગર રોડ ઘંટેશ્વર પાસે અરિહંતનગર-૧ ઇશાન એવન્યુ ફલેટમાં રહેતી પરિણીતાને પતિ ચારીત્ર્ય બાબતે શંકા કરી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પોપટપરા શેરી નં.૧૧માં માવતરે આવેલ પૂર્વીબેન રાજેશ ચૌહાણ (અ.સ્વ)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છેકે, પોતે પોતાના માતા-પિતા સાથે ત્રણ માસથી રહે છે પોતાના લગ્ન અઢી વર્ષ પહેલા જામનગર રોડ ઘંટેશ્વર પાસે અરિહંતનગર-૧માં ઇશાન એવન્યુ ફલેટ નં.૪૦૩માં રહેતો રાજેશ કિરીટસિંહ ચૌહાણ સથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમ્યાન પોતાને એક દોઢ વર્ષની પુત્રી છે. લગ્ન બાદ પતિએ નવ દિવસ સારી રીતે રાખેલ બાદ વાંક વગર કોઇ કારણ વગર પતિ રાજેશ પોતાની સાથે ઝઘડો કરતો અને મારમારતો હતો.ત્યારબાદતે ચારીત્ર્ય પર શંકા કુશંકા કરી અવારનવાર મારકુટ કરતો હતો. પરંતુ પોતાને એક પુત્રી હોઇ ઘર સંસાર ચલાવવાનો કોઇ, તેથી પોતે બધુ સહન કરતા હતા. અને વડીલોની મધ્યસ્થીના કારણે અનેક વખત સમાધાન કરી પતિ સાથે રહેતા હતા. પરંતુ તેના વર્તનમાં કોઇ સુધારો ન આવતા પોતે આત્રાસથી કંટાળી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.ટી.પરમારે તપાસ આદરી છે.

(3:43 pm IST)