Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

બાર એશોસીએશનની ચુંટણીમાં કારોબારી સભ્ય નિશાંત જોષીને રેવન્યુ અગ્રણી વકીલોનું મળી રહેલ સમર્થન

રાજકોટ,તા.૧૮: શહેરના રેવન્યુ પ્રેકટીશ કરતા અગ્રણી વકીલો એન.જે. પટેલ, જી.એલ.રામાણી, જે.વી.ગાંગાણી, હીતેષભાઈ એચ.મહેતા, રાકેશભાઈ ગૌસ્વામી, દિલેશભાઈ જે.શાહ, અનીલભાઈ ઉપાધ્યાય વિગેરે સીનીયર એડવોકેટસ દ્વારા રાજકોટ બાર એસોશીએશનની આગામી વર્ષે- ૨૦૧૯ની ચુંટણી માટે કારોબારી સભ્યપદના દાવેદાર લોક ચાહના મેળવેલ યુવા એડવોકટ નિશાંત મહેશભાઈ જોષીને સમર્થન આપવામાં આવેલ છે તથા નિશાંત જોષીને જંગી બહુમતીથી ચુંટી કાઢી વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવાયું છે.(૩૦.૧૬)

 

(4:11 pm IST)