Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા રવિવારે નવચંડીયજ્ઞ- વાર્ષિક સ્નેહ સંમેલન

તુલજા ભવાની માંની મહાઆરતીઃ રાજકોટથી રણુ બસની વ્યવસ્થા

 રાજકોટઃ તા.૧૮, સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર હળવદિયા-પાટડીયા વાગડીયા-પાટડીયા, મેથાણીયા પાટડીયા-જાંબુકીયા પાટડીયા તથા સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર વડોદરામાં રણુ (પાદરા)માં બિરાજતા શ્રી તુલજા ભવાની માં ૨૩મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહ સંમેલન તા.૨૩ રવિવારે રણુ માં આયોજન કરવામાં આવેલ છે.

 સવારે ૬ કલાકે માં તુલજા ભવાની માં મંગળા આરતી થશે. સવારે ૭ કલાકે નવચંડી યજ્ઞ પ્રારંભ સવારે ૮ કલાકે ધજા ચડાવવામાં આવશે. સવારે ૯:૩૦ કલાકે દીપ-પ્રાગટય તથા સ્મૃતિવંદના તથા બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. બપોરે ૧ કલાકે માં તુલજા ભવાની માંની મહાઆરતી કરવામાં આવેલ છે.

 આ ૨૩માં નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહમીલનમાં દાતા મધુસુદનભાઇ મોહનલાલ પાટડીયા (પાદરા) કંચનબેન ઘનશ્યામભાઇ પાટડીયા, રસિકભાઇ કરમશીભાઇ પાટડીયા, (ગુરૂકૃપા જાંબુવાળા) નો સહયોગ મળેલ છે. આ ૨૩માં નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહસંમેલન માં રાજકોટથી રણુ બસનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટથી તા.૨૨ના શનિવારે સવારે ૭ કલાકે, પેલેસ રોડ આશાપુરા મંદિરથી ઉપડશે. બસમાં નામ નોંધાવા માટે જીજ્ઞેશભાઇ વાગડીયા (મો.૯૭૨૩૩ ૯૦૯૦૯) ને નામ નોંધાવી દેવા

આયોજનને સફળ બનાવવા માટે ગીરીશભાઇ માણેકલાલ પાટડીયા, જીજ્ઞેશભાઇ નટવરલાલ વાગડીયા, રાજુભાઇ પ્રવિણચંદ્ર પાટડીયા, કલ્પેશભાઇ હસમુખભાઇ પાટડીયા, ભુપેન્દ્રભાઇ ઇશ્વરલાલ પાટડીયા, પ્રકાશભાઇ શીવાલાલ પાટડીયા, પ્રકાશભાઇ ભગવાનદાસ વાગડીયા, હર્ષદભાઇ શાંતિલાલ પાટડીયા, સુરેશભાઇ પાટડીયા, નિલેશભાઇ જડીયા, પરેશભાઇ પાટડીયા, કેતનભાઇ પાટડીયા, શૈલેષભાઇ પાટડીયા, દિપકભાઇ પાટડીયા, ચેતનભાઇ પાટડીયા, ભાવિનભાઇ વાગડીયા, વિગેરે જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:59 pm IST)