Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

નવાગામ દિવેલીયાપરામાં દેરાણી સાથે ચડભડ થતા નુતનબેન ડાભીનો સળગીને આપઘાત

આપઘાત કરનારના માતા જયાબેને કહ્યું-મારી દિકરીને દિકરો હતો એ દેરાણીનું ગમતું નહિ!

રાજકોટ તા. ૬: નવાગામ દિવેલીયાપરા આણંદપરમાં રહેતી નુતનબેન દિનેશભાઇ ડાભી (ઉ.૩૦) નામની કોળી પરિણીતાએ ગઇકાલે અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેનું આજે મોત નિપજતાં નિપજતાં પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. દેરાણી સાથે ચડભડ થતાં આ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

નુતનબેન ગઇકાલે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે મોત નિપજ્યું હતું. કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર નુતનબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેના પતિ છુટક મજૂરી કરે છે. નુતનબેનના માતા જયાબેન ટીડાભાઇ ચુનારાવાડમાં રહે છે. તેણીએ કહ્યું હતું કે મારી દિકરી નુતનને સંતાનમાં બે દિકરી ઉપરાંત દિકરો હતો. જ્યારે તેની દેરાણી મિતલ જયેશને બે દિકરી જ હોઇ આ કારણે મિતલને ગમતું ન હોઇ તે અવાર નવાર મારી દિકરી સાથે ચડભડ કરતી હતી. પરમ દિવસે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મારી દિકરીએ અગ્નિસ્નાન કરી લીધું હતું. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. નુતનબેનના આપઘાતથી તેના ત્રણ માસુસ સંતાન મા વિહોણા થઇ ગયા છે.

(4:39 pm IST)