Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

દિક્ષાર્થીઓનું અભિવાદન કરી રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજના આશિર્વાદ મેળવતા શિક્ષણ સમિતિના હોેદ્દેદારો

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ૯ મી તારીખે યોજાનાર ભવ્ય દિક્ષા સમારોહના ભાગરૂપે યોજાયેલા વિવિધ કાર્યક્રમ અન્વયે કરણપરા ચોક, અજરામર અપાશ્રય ખાતે દિક્ષાર્થી આરાધનાબેન તથા ઉપાસનાબેનનું ભવ્ય અભિવાદન શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજના શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ દર્શન કરી અભિવાદન મેળવ્યા. આ તકે કાર્યક્રમના ભગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પણ શિક્ષણ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ મહામંત્રી તથા શિક્ષણ સમિતિ સદસ્ય સર્વશ્રી કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ મહેતા, જગદીશભાઇ ભોજાણી, અલ્કાબેન કામદાર, કિરણબેન માકડિયા તથા મહિલા અગ્રણી જયોતિબેન મહેતા ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજના શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ આશિર્વાદ મેળવ્યા હતા. આમ રાષ્ટ્ર સંતશ્રીએ શિક્ષણ સમિતિના બાળકોના સર્વાંગી વિકાસના કાર્યોની સરાહના કરી હતી.(૧.૨૫)

(4:28 pm IST)