Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા- કોલેજનાં વિદ્યાર્થીઓ માટે નવરાત્રી- ૨૦૧૮

રાજકોટઃ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા  પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ''નવરાત્રી- ૨૦૧૮''નું બાલભવન ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી તથા વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓ તથા ઉપસ્થિત રહેલ. વેલડ્રેસ તથા શ્રેષ્ઠ ખેલૈયાઓને વિજેતા જાહેર કરી ઈનામ તથા મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. નિર્ણાયક તરીકે હેમાનીબેન રાવલ, ઉર્વશીબા ગોહિલ, અમીબા જાડેજા, ઈશાબેન દવે તથા એકતાબેને સેવાઓ આપેલ. કાર્યક્રમનું સંચલાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયનાં સ્ટાફ પરિવારે કરેલ હતું.

(3:55 pm IST)