Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પડવેથી પહેલું માનું નોરતું રે લો...

રાજકોટઃ ધોળકિયા સ્કૂલ્સના નેજા હેઠળ શ્રી કૃષ્ણકાંતભાઈ, જીતુભાઈના માર્ગદર્શન હેઠળ પ્રાચીન નવરાત્રી મહોત્સવ સતત છ વર્ષથી ભવ્ય રીતે ઉજવાય રહ્યો છે. પહેલા નોરતાથી જ ''મા''ની આરાધનાનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો. રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ પૂ.સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ નવરાત્રી મહોત્સવમાં ૩૫૦થી વધુ કલાકારો દ્વારા શકિતની આરાધનાનું દર્શન થઈ રહ્યું છે. ત્યારે પહેલા નોરતાની શરૂઆતમાં હે જગજગની હે જગદંબા..., રાધાજીનું ઝાંઝરિયું..., ગળધરેથી માડી નિસર્યા...., મોગલ છેડતા તારો નાગ... મારે મહિસાગરને આરે ઢોર વાગે છે... વિ.રાસ દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

(3:51 pm IST)