Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં નવરાત્રીની ઉજવણી

રાજકોટઃ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળાનાં સંકુલ દ્વારા નવરાત્રીની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીનાં પર્વને વધાવતા શાળાનાં વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશમાં રાસ-ગરબાનાં નૃત્ય રજૂ કર્યા હતા. સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ જાની, ટ્રસ્ટીશ્રીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઈ ચાવડાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)