Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ખોડીયાર ગૃપ તથા સિધ્ધનાથ મહાદેવ સેવા સમીતી દ્વારા સ્મૃતિ વન મહોત્સવ ઉજવાયો

રાજકોટ, તા., ૧૧: વોર્ડ નં. ૧૦માં આઇ શ્રી ખોડીયાર ગૃપ તથા સિધ્ધનાથ મહાદેવ સેવા સમીતી આયોજીત સ્મૃતિ વન મહોત્સવ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન થયો જેમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, કોર્પોરેટરશ્રી અશ્વીનભાઇ ભોરણીયા, શ્રીમતી જયોત્સનાબેન ટીલાળા, પુર્વ વિપક્ષી નેતા શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, ધારાશાસ્ત્રી અશોકસિંહ વાઘેલા, વોર્ડ પ્રભારી શ્રી માધવભાઇ દવે, પ્રમુખશ્રી રજનીભાઇ ગોલ, મહામંત્રી શ્રી હરેશભાઇ કાનાણી, મંત્રી શ્રીમતી મયુરીબેન પટેલ, યુવા મોરચા પ્રમુખ સંજયભાઇ વાઘેર, ડીએફઓ શ્રી મુની સાહેબ વિ. ઉપસ્થિત રહયા હતા. સમગ્ર આયોજન શ્રી હેમંતસિંહ ડોડીયા, બી.બી.લીંબાસીયા, ચંદુભાઇ જોબનપુત્રા, સી.ટી.એરવાડીયા, મહેશભાઇ પંડયા, મનહરભાઇ ટીલાળા તથા આઇશ્રી ખોડીયાર ગૃપ તથા સિધ્ધનાથ મહાદેવ મંદિર સેવા સમીતીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું. વિશાળ સંખ્યામાં લોકોએ સ્મૃતિ વનમાં સ્વજનોની સ્મૃતિમાં વૃક્ષારોપણ કર્યુ. (૪.૧૦)

(4:13 pm IST)