Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અમરનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઝૂપડા અને છાપરાવાળા ઘરોમાં તાલપત્રી વિતરણ

રાજકોટ, તા. ૧૧ : અમરનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાચા ઝૂપડા અને છાપરાવાળા ઘરોમાં તાલપત્રીનું વિતરણ આજથી પાંચેક દિવસ કરવામાં આવશે.

આ ટ્રસ્ટ દ્વારા હોલીકા મહોત્સવ, બ્લડ ડોનેશન કેમ્પ, ઉનાળામાં સ્લીપર વિતરણ, વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ જેવી સેવાકીય પ્રવૃતિ કરે છે.

અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવનારા દિવસોમાં જન્માષ્ટમી દરમિયાન જરૂરીયાતમંદોને ચણાનો લોટ, તેલ, ફરસાણ, મીઠાઈનું વિતરણ કરશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા અમરનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પૂર્વેશ ભટ્ટ, ટ્રસ્ટીઓ જય શાહ, રિષભ દેસાઈ, રોહન જેસાણી, જય ગોહેલ, સન્ની પટેલ, નિકુંજ પટેલ, ધવલ માણેક તથા ટ્રસ્ટના સભ્યો શ્રી પંકિલ માણેક, અક્ષય કોટક, જય ભટ્ટ, દેવકરણ જોગરાણા સહિતના મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૧૧)

(2:31 pm IST)