Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી વિભાગમાં મજુરોની હડતાલઃ ભાવ વધારાની માંગણી

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ (બેડી) માર્કેટયાર્ડમાં મગફળી વિભાગમાં આજે મજુરોએ ભાવ વધારાની માંગણી સાથે અચાનક હડતાલ પાડી દેતા મગફળીની હરરાજી ઠપ્પ થઈ ગઈ હતી.

બેડી યાર્ડમાં મગફળી વિભાગમાં મજુરોએ મજુરીના દરની વધારાની માંગણી કરી આજે હડતાલ પર ઉતરી જતા મગફળીની હરરાજી બંધ રહી હતી. ગઈકાલે જ મજુરીના દર બાબતે મજુરોએ રજૂઆત કરી હતી પણ યોગ્ય કાર્યવાહી ન થતા આજે હડતાલ પાડી હતી.

યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યુ હતુ કે, મજુરોની હડતાલને કારણે આજે મગફળીની હરરાજી ખોરવાઈ છે. હાલમા મજુરોને ૨૦ કિલો (એક ગુણીએ) પાંચ રૂ. મજુરી અપાઈ છે. મજુરો દ્વારા એક ગુણીએ ૭ રૂ. મજુરીના દર કરવાની માંગણી છે. મજુરોની માંગણી અંગે યાર્ડના સત્તાધીશોને જાણ કરાય છે.

(2:45 pm IST)