Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

'સહકાર' નું 'સહકાર'ને અર્પણ : જયોતિન્દ્રભાઇ દ્વારા રૂ.૧૨ લાખ ૫૧ હજારનું દાન

રાજકોટ : તાજેતરમાં ઇફકો દ્વારા સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇને સહકારીતા રત્ન એવોર્ડ એનાયત કરેલ. આ એવોર્ડમાં રૂ. ૧૧ લાખની ધનરાશીનો સમાવેશ હતો. આ એવોર્ડ ખરેખર પોતાને નહિ પરંતુ સહકારમાં કરેલા કાર્યોનું ગૌરવ છે. તેમ માનતા જયોતીન્દ્રભાઇ મહેતાએ 'સહકાર'ને જ અર્પણ કરી એવોર્ડની ધનરાશીમાં પોતાનો આર્થિક સહયોગ આપી સહકાર ભારતી સંસ્થાને રૂ.૧૨ લાખ ૫૧ હજારની ધનરાશીનું અનુદાન કર્યુ હતુ. સહકાર ભારતીની બે દિવસીય પુર્ણકાલીન રાષ્ટ્રીય કાર્યવાહી બિહારના પટણા ખાતે યોજાયેલ હતી. તેમાં વિશેષમાં રાધામોહનસિંહ (કેન્દ્રીય કૃષિમંત્રી - ભારત સરકાર), સહકાર ભારતીમાંથી સતીષજી મરાઠે (સંરક્ષક), ઉદયજી જોશી (સેક્રેટરી), દિપકજી (બિહાર પ્રદેશ અધ્યક્ષ), દમયંતીબેન દવે (સહપ્રમુખ - રાષ્ટ્રીય મહિલા પ્રકલ્પ) વગેરે મળીને રર પ્રાંતમાંથી રાષ્ટ્રીય કાર્યકારણીના ૨૦૫ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સમાપનમાં રાધામોહનસિંહ, સતીષજી મરાઠે, ઉદયજી જોશી, રામસિંહજીએ પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતુ. જયોતીન્દ્રભાઇ મહેતાના અનુદાનના કાર્યને ઉપસ્થિત સહુએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધેલ.

(4:18 pm IST)