Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટકના પરીણામો કહે છે કે આગામી લોકસભામાં ભાજપની જીત પાકી : કુંડારીયા

રાજકોટ તા. ૧૬ : કર્ણાટકના પરિણામો એવો અણસાર આપી ગયા છે કે આગામી લોકસભાની ચુંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. પ્રજા કોંગ્રેસને નકારે છે તે પુરવાર થઇ રહ્યાનું રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ એક યાદીમાં જણાવ્યુ છે.

તેઓએ ભાજપની જીતને વધાવતા જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહના નેતૃત્વમાં ભાજપ એક પછી એક રાજયોમાં ભગવો લહેરાવતો જાય છે. જ્ઞાતિવાદ, વંશવાદ અને ભાગલાવાદના રાજકારણનો સફાયો થયો છે. આગામી ૨૦૧૯ ની ચુંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત બન્યો હોવાનો દ્રઢ આશાવાદ મોહનભાઇ કુંડારીયાએ વ્યકત કર્યો છે.

(3:58 pm IST)