Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

મકાન અને કરિયાવર બાબતે ત્રાસ આપી સંગીતાબેન પટેલને આપઘાત માટે મજબૂર કર્યા' તા

કોઠારિયામાં ત્રણ દિવસ પહેલા પટેલ પરિણીતાએ ગળાફાસો ખાઇ લીધો' તોઃ પતિ ચેતન, સાસુ શારદાબેન, સસારા બાબુ, નણંદ હર્ષા, નણદોયા જયેશ અને નણંદ દક્ષા સામે ગુનો નોંધાવ્યો

રાજકોટ, તા.૧૬: કોઠારિયા સોલવન્ટ ઓમકાર સ્કૂલની સામે આરોપાલવ સોસાયટીમાં રહેતી પટેલ પરિણીતાને આપઘાત કરવા માટે મજબુર કરનારા પતિ, સાસુ, સસરા, બે નણંદ, અને નણદોયા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બોટાદના સમડીયાળામાં રહેતા ઘનશ્યામભાઇ ચતુરરભાઇ સાબવા(ઉ.વ.૪૭)(પટેલ) એ રાજકોટ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કોઠારિયા સોલવન્ટ આરોપાલવ સોસાયટીમાંઙ્ગરહેતા જમાઇ ચેતન બાબુ ભાવનગરીયા, બાબુ છગનભાઇ ભાવનગરીયા, લાઠીદંડના શારદાબેન, બોટાદની હર્ષા જયેશ વેગડ, જયેશ મનસુખભાઇ વેગડ અને રાજકોટ કોઠારિયાની આસોપાલવ સોસાયટીની દક્ષા બાબુ ભાવનગરીયાના નામ આપ્યા છે. ઘનશ્યામભાઇ સાબવાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ખેતી કરે છે. પુત્રી સંગીતા(ઉ.વ.૩૦)ના ચારમાસ પહેલા લાઠીદડમાં રહેતા ચેતન બાબુ ભાવનગરીયા સાથે બીજા લગ્ન થયા હતા. લગ્નના એક મહિના બાદ ત્યાથી તે રાજકોટ કોઠારિયા સોલવન્ટમાં ઓમકાર સ્કૂલની સામે આસલપાલવ સોસાયટીમાં રહેવા આવ્યા હતા. ત્યા પુત્રી સંગીતાના સાસુ, સસરા તથા નણંદ અને નણદોયા અવાર-નવાર આટો દેવા આવતા જેમા નણોલયા જયેશ પુત્રી સંગીતાના ઘરે જ રહેતા હતા. અને તેના સાસુ-સસરા તથા બે નણંદો પંદર દિવસ પુત્રીના ઘરે રોકવા આવ્યા હતા. ત્યારે સાસુ શારદાબેન તથા સસરા બાબુ મોટી નંણદ હર્ષા અને નાની નંણદ દક્ષા તેના નણદોયા જયેશ આ લોકો સંગીતાબેનને દહેજ બાબતે મેણા ટોણા મારતા અને કહેતા કે, તુ તારા પિતાના ઘરેથી કરીયાવર ઓછો લાવી છો' અને પતિ ચેતન પણ મેણા ટોણા મારતો હતો. અને ચેતને કહેલ  કે, 'તુ તારા બાપાના ઘરે જઇ અને તારા બાપુજીને કે મને મકાન લઇ દે' તેમ કહી સંગીતાને મારકુટ કરી ત્રાસ આપતા હતા.

ગઇ તા.૧૪/૫ ના રોજ  ગામમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ હોઇ, જેથી પોતે સંગીતાને તેડાવી હતી અને પુત્રી સંગીતા સમઢીયાબા રોકાવા આવેલ હતી. ત્યારે સંગીતાએ પતિ ચેતન સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવાની વાત કરી હતી ત્યારે સંગીતાને સમજાવીને રાજકોટ મોકલી હતી. સાસરીયે ગયા બાદ ફરિવાર સંગીતાને તેનો પતિ ચેતન સહિતના સાસરિયાઓ 'તારા અગાઇ છુટાછેડા થયેલ છે તારા બીજા લગ્ન છે. અમો તને છુટાછેડા આપી દેશુતો તારી સાથે ત્રીજા લગ્ન થશે  નહી અને કોઇ સાચવશે નહિ' તેવા મેણાટોણા મારી ત્રાસ આપતા હોવાની પણ સંગીતાએ વાત કરી હતી. આથી તેણે પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી ત્રણ દિવસ પહેલા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિણીતાના પિતા ઘનશ્યામભાઇ સાબવાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સાસરીયાઓ વિરૂધ્ધ આપઘાત માટે મજબુર કરવા મુજબની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ એસ.ડી સોલંકીએ તપાસ આદરી છે.(૨૨.૭)

(12:37 pm IST)