Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પુનિતનગરમાં કારખાનેદાર પ્રજાપતિ યુવાનની ગળાફાંસો ખાઇ આત્મહત્યા

વિમલભાઇ માલવીના મોતથી બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૬: ગોંડલ રોડ પુનિતનગર ૮૦ ફુટ રોડ પર અવકાશ એવન્યુ ૫૦૧માં રહેતાં પરજીયા પ્રજાપતિ યુવાન વિમલભાઇ મગનભાઇ માલવી (ઉ.૩૫)એ પંખાના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી મયુરભાઇ મારફત કન્ટ્રોલ રૂમમાં થતાં ઇન્ચાર્જ જે. કે. જાડેજાએ તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ આર. બી. જાડેજા અને પૃથ્વીરાજસિંહ ગોહિલે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિમલભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને મહાદેવવાડીમાં ઝીંક પ્લેટીંગનું કારખાનુ ધરાવતાં હતાં. તેમના પત્નિનું નામ નેહલબેન છે. સંતાનમાં બે પુત્રો પાર્થ (ઉ.૧૩) અને વિવેક (ઉ.૧૫) છે. વહેલી સવારે પાર્થ ઉઠ્યો ત્યારે તેણે પિતાને લટકતા જોતાં દેકારો કરી મુકયો હતો. માતા-પરિવારજનો જાગી જતાં ૧૦૮ને બોલાવાઇ હતી. પરંતુ ત્યારે મોડુ થઇ ગયું હતું. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા નથી. પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૧૦)

 

(2:00 pm IST)