Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

યુ.પી.થી રાજકોટ સારવાર માટે આવી રહેલા વૃધ્ધનું ટ્રેનમાં મોત

પુત્રની નજર સામે જ વાંકાનેર પાસે બેભાન થઇ ગયા

રાજકોટ તા. ૨૪: મુળ યુ.પી.ના મુહઇ ગામના વતની રાજદેવભાઇ ચોૈધરીભાઇ યાદવ (ઉ.૭૦) બિમાર હોઇ રાજકોટ દુધ સાગર રોડ પર જૈન નગરમાં રહેતો તેનો પુત્ર રમેશ તેની સારવાર કરાવવા માટે તેડવા ગયો હોઇ બંને પિતા-પુત્ર ટ્રેન મારફત ગત રાત્રે રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે વાંકાનેર પાસે રાજદેવભાઇ ટ્રેનમાં જ બેભાન થઇ જતાં રાજકોટ પહોંચી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.

મૃતકને સંતાનમાં ચાર દિકરી અને ચાર દિકરા છે. હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને રવિભાઇ ગઢવીએ રેલ્વે પોલીસને જાણ કરી હતી.

(11:35 am IST)