Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

શેઠ ઉપાશ્રયમાં પૂ.પારસમુનિના સાનિધ્યે યુવા શિબીર યોજાઈ

દાતા ખારા- બેનાણી પરિવારનું સન્માન

રાજકોટ,તા.૨૦: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશ મુનિ મ.સા.ના સુશિષ્યા ક્રાંતિકારી સંત સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.ના સુમંગલ સાનિધ્યે રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘમાં તા.૧૯ના સવારે ૭ થી ૯ ગોમતીચક્ર મહાપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

ગોમતીચક્ર મહાપૂજનનો લાભ ખારા પરિવાર ગિરીશભાઈ પ્રાણલાલ ખારા પરિવાર હસ્તે પારસ, જય ખારા પરિવારે લીધેલ.

ગોમીતચક્ર મહાપૂજન બાદ નવકારશી માતુશ્રી રમીલાબેન હરકિશન બેનાણી પરિવાર હસ્તે કુમારી ધારા જીતેન્દ્ર બેનાણી પરિવારે લીધેલ. આ બંન્ને પરિવારોનું સન્માન કરવામાં આવેલ.

આ અવસરે પૂ.સુશાંતમુનિ મ.સા. તથા પૂ.મહાસતીજી વૃંદ ઉપસ્થિત રહેલ ૨૦૦૦ સાધકોએ આરાધનામાં મહાન લાભ લીધેલ. તા.૨૦ પૂ.ગુરૂદેવ શેઠ ઉપાશ્રય પધરાતા સદાનંદી પૂ.સુમતિબાઈ મ.સમ. આદિ ઠાણાનું મંગલમિલન થયેલ.

શેઠ ઉપાશ્રયમાં યુવા શિબિરમાં પૂ.ગુરૂદેવે કોન્સીયસ માઈન્ડ, સબ કોન્સીયસ માઈન્ડ અને વિઝયુલાઈઝેશન દ્વારા પોઝીટીવીટી જીવનમાં લાવી જીવનમાં સુખ, શાંતિ, પ્રસન્નતા, આનંદ પ્રાપ્ત કરવાની સમજણ આપી.

પૂ.ગુરૂદેવે ધ્યાન સાધના કરાવી સર્વ ધ્યાન સાધનાથી એક અલગ પ્રકારની પોઝીટીવ એનર્જી અનુભવી. શેઠ ઉપાશ્રય ગાદીપતિ પૂ.ગુરૂદેવ ગીરીશચંદ્રજી સ્વામીની અંતિમ આરાધના ભૂમિ છે.

(3:31 pm IST)