Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રેલનગરના એપાર્ટમેન્ટમાં રાખીબેન ધાનકનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ર૦ : શહેરના રેલનગરમાં આવેલ ઇસ્કોન આશ્રય નામના એપાર્ટમેન્ટમા રહેતી સોની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલ ઇસ્કોન આશ્રય ફલેટ બી વીંગમાં રહેતા રાખીબેન વલ્લભભાઇ ધાનક (ઉ.ર૭) એ ગઇકાલે પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. પતિ ઘરે આવી ફલેટનો મુખ્ય દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતા બેડ રૂમમાં પત્નીને લટકતી હાલતમાં જોઇ તાકીદે જાણ કરતા ૧૦૮ ના ઇએમટી મેહુલભાઇએ તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્રનગર પોલીસ મથકના એએસઆઇ સુરેશભાઇ જોગરાણા તથા રાઇટર બાબુલાલે તપાસ હાથ ધરી હતી મૃતક રાખીબેનના આઠવર્ષ પહેલા લગ્ન થયા હતા તેના માવતર મુંબઇ રહે છે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલસે  તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)