Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

શહેરમાં છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૭૮ કેસ

મ્યુ.કોર્પોરેશનના ચોપડે સામાન્ય શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહીતના ૮૦૦થી વધુ દર્દીઓ નોંધાયાઃ તંત્ર દ્વારા ૮ હજાર ઘરોમાં ફોગીંગ કર્યાનો દાવો

રાજકોટ, તા.,૨૦: શહેરમાં મીશ્ર વાતાવરણના કારણે રોગચાળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. મ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં ડેન્ગ્યુના ૭૮કેસ ત્થા શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૮૦૦થી વધુ દર્દીઓ નોંધાયા છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય - શરદી ,ઉધરસ તાવના કેસ૩૮૭, ઝાડા-ઉલ્ટીના ૩૪૯, ટાઇફોઇડ તાવના ૧, ડેન્ગ્યુના૭૮ તથા મેલેરીયાના ર, અન્ય તાવના કેસ ૩૨ સહિત કુલ ૮૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

૮ હજાર ઘરોમાં ફોગીગ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૨૩ હજાર ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૮હજાર ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ ૧૫૫ ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૭૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૫૩-રેકડી, ૧૨-દુકાન, ૧૫૮-હોટલ-રેસ્ટોરન્ટ, ૨૧-ડેરી ફાર્મ, ૪-રેકડી ઙ્ગસહિત કુલ ૨૮૯ ખાનીપીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૭૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા હતા. ૫૯ ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

(3:29 pm IST)