Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

લક્ષ્મીનગરમાં બ્રીજ માટે રપ કરોડઃ એરપોર્ટ ફાટક પહોળુ થશે

નાલામાં અન્ડરબ્રીજ બનાવવા રેલ્વેને પૈસા ચુકવાશેઃ એરપોર્ટ ફાટક ૬ મીટર પહોળુ થશેઃ આમ્રપાલી ફાટકનાં અન્ડર બ્રીજ કામને કારણે સર્જાતી ટ્રાફીક સમસ્યા હળવી થશેઃ ઇન્ચાર્જ મેયર અશ્વિન મોલિયા-સ્ટે.ચેરમેન ઉદય કાનગડ, મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરી

રાજકોટ, તા.૨૦: શહેરના લક્ષ્મીનગર નાલા પાસે સર્જાતી ટ્રાફીક સમસ્યા દુર કરવા માટે અન્ડર બ્રીજ બનાવવાનો નિર્ણય લઇ અને મ્યુ.કોર્પોરેશન રેલ્વેને રૂ.૨૫ કરોડ ચુકવાનાર છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ તથા મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે જણાવ્યુ હતુ કે નાના મૌવા રોડ-મવડી વિસ્તારનો ટ્રાફિક લક્ષ્મીનગર નાલામાંથી પસાર થતો હોઇ આ સ્થળે ટ્રાફીકની સમસ્યા રહે છે. જેને હળવી બનાવવા નાલાના સ્થળે અંડરબ્રીજ બનાવાશે. જે બ્રીજનું સંપૂર્ણ કામ રેલ્વે દ્વારા થશે આ માટે પ્રથમ તબકકે રેલ્વેને ૨પ કરોડ ચૂકવાશે. જેમાંથી બ્રીજની ડીઝાઇન સહીતની કામગીરી થશે.

દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડરબ્રીજ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહેલ છે. કાર્યમાં ઝડપ આવે અને લોકોને અડચણ ન થાય એવા પ્રકારે કામગીરી આગળ ધપાવવા અધિકારીઓને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે સૂચના આપી છે.ઙ્ગ

આજરોજ આમ્રપાલી ફાટક અને એરપોર્ટ ફાટકની મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ઉપરાંત કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન  ઉદયભાઈ રેલવે ના અધિકારીઓ, ડિવિઝનલ મેનેજર, નાયબ કમિશનર ચેતન નંદાણી, શાસકપક્ષના નેતા દલસુખભાઈ જાગાણી તેમજ સિટી એન્જી. કે.એસ. ગોહેલ રૂબરૂ  મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન આમ્રપાલી ફાટક અન્ડરબ્રીજે યુટીલીટી સર્વિસ ડકટ શિફટિંગ તાત્કાલિક પૂરું કરવા જણાવાયું હતું.ઙ્ગ અને ત્યારબાદ સૌએ એરપોર્ટ ફાટકની મુલાકાત લીધી હતી અને રૈયા રોડના ડાયવર્ટ થયેલા ટ્રાફિકની સરળતા માટે એરપોર્ટ ફાટક પહોળું કરવા નિર્ણય કરાયો હતો. અને જે આજે મ્યુનિ. કમિશનરશ્રીઙ્ગ ડીવીઝનલ રેલ્વે મેનેજરને પત્ર લખશે. ત્યારબાદ આ પ્રોજેકટ બાબતે સ્ટેન્ડીંગમાં દરખાસ્ત પણ કરશે, એમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

વધુ  વિગતે મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, આમ્રપાલી ફાટકનું કામ ચાલુ છે ત્યારે યુટીલીટી ડકટ સર્વિસને તાત્કાલિક પૂરું કરવા માટે જણાવવામાં આવ્યું હતું તેમજ મુલાકાત દરમ્યાન રૈયા રોડ પરના વેપારીઓ ત્યાં સ્થળ પર ભેગા થઈને મુશ્કેલીઓની રજૂઆત કરી હતી. રજુઆતને ધ્યાને લઈને વેપારીઓને આશ્વાસનરૂપે સમયસર કાર્ય પૂરું કરાવવા અને વેપારીઓને મુશ્કેલી ન પડે પણ ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ એરપોર્ટ ફાટકની મુલાકત કરી હતી, કેમકે આમ્રપાલી ફાટકનું કામ ચાલુ હોવાથી રૈયા રોડ પરનો ટ્રાફિક એરપોર્ટ રોડ પર ડાયવર્ઝન કરવામાં આવેલ છે અને તેના લીધે એરપોર્ટ ફાટક પર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આજ રોજ કોર્પોરેશન ડીવીઝનલ રેલ્વે મેનેજરને એરપોર્ટ ફાટક પહોળું કરવા અંગે પત્ર લખશે અને આ બાબતે સ્ટેન્ડીંગમાં દરખસ્ત પણ મોકલવામાં આવશે. એરપોર્ટ ફાટક પહોળો થયે ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને લોકોને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો ઓછો કરવો પડશે.

(3:22 pm IST)