Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પાઈલ્સ-ડે : હરસ-મસા રોગ વિશે જાણીએ, તેનાથી બચીએ

મળમાર્ગના રોગો માટે જવાબદાર એવી કબજીયાતને અવગણશો નહિં : ડો.એમ.વી. વેકરીયા

રાજકોટ : આપણા ગુજરાતીમાં કહેવત છે કે 'પહેલું સુખ તે જાતે નર્યા.' જો તમારૂ શરીર નરવું હશે તો તમામ સુખ તમારા દાસ છે. આજે 'પાઇલ્સ ડે' નિમિતે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પ્રોકટોલોજીસ્ટ મળ માર્ગના નિષ્ણાંત ડો. એમ.વી.વેકરીયા હરસ, મસાં-પાઇલ્સ વિષે આપણને વિશેષ સવિસ્તાર તેમના થવાના કારણો તેમના લક્ષણો હરસથી બચવાના ન થાય તે માટેની પરેજી તેમની વૈજ્ઞાનિક સચોટ સારવાર અને હરસની સારવાર માટે આપણા માનસમા પ્રવતિ રહેલી પ્રચલિત ગેરમાન્યતા, અંધશ્રદ્ધા વિશે સચોટ માહિતી આપી છે. ડો. એમ.વી.વેકરીયા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અતિઆધુનિક ટેકનોલોજી અમેરીકન અલ્ટ્રાશોનીક હાર્મોનીક ફોકસ જર્મન ઇન્ફ્રારેટ કોએગ્યુલેશન જાપાનીજ હેલ-સ્ટેપર, વેસલ સીલર, લેસર જેવી હરસ માટેની ટેકનોલોજીનો આવિષ્કાર કરી રાજકોટ શહેરનું ગૌરવ વધારેલ છે.

હરસ મસા એટલે શું? આપણા મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ રોજ બરોજ કબજીયાતના પ્રેસરના કારણે તેમજ લાઇફ સ્ટાઇલ તેમજ વારસાગતને કારણે ત્યાંની મળ માર્ગની ત્વચા-મ્યુકોઝાની નીચે રહેલી લોહીની નળીઓ ફુલાઇને ગંઠો આચળ જેવું જે બને તેને હરસ કહેવામાં આવે છે. હરસ મસાએ મળમાર્ગમાં થતા અતિકષ્ટકાયક વ્યાધિ છે. જેમાં ખાસ કરીને અસહ્ય દુઃખાવો બળતરા તથા લોહી પડે છે. આ આચર ગઠાને આપણે ગુજરાતીમાં હરસ મસા-હીન્દીમાં બવાસીર-સંસ્કૃતમાં અર્શ અંગ્રેજીમાં પાઇલ્સ મેડીકલમાં હેમોરોઇડસ લેટીનામાં પીલા કહેવાય છે.

હરસ થવાના કારણો : કબજીયાતને સર્વે રોગની જનની માતા કહી છે. હરસ થાવામાં પણ મુખ્ય કારણ કબજીયાત છે. તેથી પહેલાતો કબજીયાત કરે તેવા આહાર વિહાર છોડવા, બંધ કરવા. આજની લાઇફસ્ટાઇલ, મળમાર્ગના રોગોને નોતરે છે. પ્રવાહી, છાશ, દૂધ, પાણી, ફ્રુટ, સુપ, જુસ ઓછા લેવા તેમજ પાન, બીડો, તમાકુ, ફાકી વધારે લેવા. કબજીયાત કરે તેવો આહાર તેમજ તીખું, તળેલું તમતમતું મસાલા વાળો ખોરાક વધારે લેવો. ખોરાકની અનિયમિતતા, ફાઇબરલેસ ડાયેટ અને ફાસ્ટ કુડ, જંકફૂડનું વધતુ જતુ પ્રમાણ, બેઠાડુ જીવન કસરતનો અભાવ, ચિંતા, ક્રોધ, અને ઉજાગરા સંડાસમાં અતિશય જોર કરવાની ટેવ વારવાર સંડાસ જવાની ટેવ તેમજ વારવાર ઝાડા અને મરડો થવો, લેડીઝમાં પ્રેગ્નેન્સી દરમ્યાન તેમજ વારસાગત વગેરે કારણોથી હરસ થાય છે.

હરસ-ફીશર ભગંદરમાં જોવા મળતા સામાન્ય લક્ષણોઃ (૧) મળત્યાગ વખતે મળમાર્ગમાં દુઃખાવો, બળતરા અથવા રકતસ્ત્રાવ થવો. (૨) સંડાસ જતી વખતે આચળ જેવો કઇક બહાર નીકળવો. (૩) કાયમી કબજીયાત, ગેસ ટ્રબલ, અપચો રહેવો. (૪) બેસવામાં તકલીફ થવી, દુઃખાવો થવો. (૫) મળમાર્ગમાં ખજવાળ આવવી, રસી નીકળવા, ચીકાસ આવવી કે ભીનું લાગવું. (૬) વારંવાર મળમાર્ગની આસપાસ ગળગુમડ જેવું થઇને રસી નીકળવી. (૭) વારવાર મરડો અથવા ઝાડા થવા. (૮) સંડાસ માટે કાયમી જુલાબ કે રેચક દવા લેવાની જરૂર પડે છે. (૯) ભુખ ન લાગવી, જમ્યા પછી પેટમાં ભારે લાગવું ગેસ ટ્રબલ રહેવી, શરીર ફીકકું રહે, શરીર આખું દુખે પીંડીમાં કે કમરમાં દુઃખાવો રહેવો. (૧૦) મળત્યાગ કંટ્રોલ ન હોવો, લાંબા સમયે મળમાર્ગ નબળો પડવો.

હરસ-મસા ભગંદર, ફીશર ન થાય તે માટે સોનેરી સૂચનો : જરૂરી પરેજી :  (૧) મળમાર્ગના રોગો માટે જવાબદાર એવી કબજીયાતને અવગણશો નહીં. (૨) કાયમ કોઇ પણ જાતના જુલાબ કે રેચક દવા લેવી એ અત્યંત હાનિકારક છે. (૩) કુદરતી હાજતના વેગને ગમે તેવા સંજોગોમાં રોકશો નહીં. (૪) ભુખ લાગે ત્યારે ફળ અને શાકભાજી સુપાચ્ય આહાર પૂરતા પ્રવાહી સાથે લેવાથી કબજીયાત અટકે છે. (૫) ઉકાળેલું કે ફીલ્ટર કરેલું પાણી રાત્રે સુતા પહેલા બે ગ્લાસ અને સવારે ઉઠીને નરણા કોઠે બે ગ્લાસ પીવું. (૬) દરરોજ સવારે એક વખત સંડાસ જવાની નિયમિત ટેવ પાડવી. (૭) સંડાસ જતા જોર ન કરવું ઉંડા શ્વાસોશ્વાસ લેવા. થોડા સમય બેસવું. ઉતાવળ ન કરવી. (૮) દરરોજ સવારે બે થી ત્રણ કિલોમીટર ચાલવું. (૯) વધુ પડતો તીખો-તળેલો, ચીકણો, બેકરીનો અને કબજીયાત કરે તેવો ભારે આહાર લેશો નહીં. (૧૦) પાન, બીડી, તમાકુ, સોપારી, જદો, દારૂ લેવા નહીં. (૧૧) ઝાડો ચીકાશ વગર બંધાયેલો કોઇપણ જાતની બળતરા કે દુઃખાવા વિના સંતોષપૂર્વક થાય એ સ્વાસ્થ્યની નિશાની છે. (૧૨) મળમાર્ગમાં રકતસ્ત્રાવ દુઃખાવો, બળતરાં, ખંજવાળ આવે અથવા મળમાર્ગની આસપાસ ફોલ્લા અથવા ગળગૂંમડ થાય, રસી આવે, ચીકાસ આવે અથવા મળ ત્યાગ સમયે કોઇ ભાગ દેખાય તો તુરત નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી જોઇએ.

હરસ-મસા (પાઇલ્સ)ની સરળ - સચોટ વૈજ્ઞાનિક સારવાર : એડવાન્સ ટેકનોલોજી ફોર પ્રેકટોલોજી,  એડવાન્સ સાયન્સ પ્રમાણે નવી નવી ટેકનોલોજી દ્વારા સારવાર થાય છે. જેમાં હાલની સૌથી એડવાન્સ ટેકનોલોજી આ પ્રમાણે છે.

અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ (ઇથીકોન કંપની અમેરીકા) :   અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ સ્કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે. જેની ડીઝાઇન એકદમ કોમ્પેકટ છે. તેમાં એવોકોમ્પ્યુરાઇઝડ સોફ્ટવેર પ્રોગામ છે. જેમાં કોઇ નવા રિસર્ચ ભવિષ્યમાં થાય તો તે સોફ્ટવેર પ્રોગામ તેમા અપડેટ થઇ શકે છે. એકદમ પરફેકટ અને માઇક્રો ડિસેકશન થઇ શકે છે. લાર્જ વેસલ-લોહીની નળીને પણ સીલીંગ કેપેસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્કીનથી ઓપરેટ થાય છે. આ મશીનના મુખ્ય ફાયદા એ છે કે તેમાં અલ્ટ્રાસોનીક દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમાં ઇલેકટ્રીકસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધીજ ટેકનોલોજી કરતા આજુબાજુના ટીસ્યુ મ્યૂકોઝા ચામડોને નહીવત ડેમેજ કરે છે, જેથી બ્લડ લોસ અને બર્નીંગ નહીવત થાય છે અને હીલીંગ ઝડપથી થાય છે. બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી.

આ અતી લેટેસ્ટ મશીન ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં એસ્ટ્રોન ચોક ખાતે આવેલ સુશ્રુત હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ખુબ જ સરળતાથી સફળતા પૂર્વક આ મશીનથી સારવાર અપાઇ રહી છે.

આ સિવાય પહેલા ઉપયોગમાં લેવાતી સારવાર પદ્ધતિ જેવી કે -  સબ મ્યુકોઝલ સ્કેલેરોજન્ટ ઈન્જેકશન  રબરબેન્ડ લીગેશન પદ્ધતિ   ક્રાયો સર્જરી - નાઇટ્રોજન ગેસથી ઠંડા કરીને શીતદગ્ધથી હરસને સુકવવા.  સકસન આર.બી. -સકશન દ્વારા રબ્બરબેન્ડ લીગેશન.  ક્ષારસુત્ર સારવાર - હરસને ક્ષારસુત્રથી હરસને મુળમાંથી બાંધવા  ઓપરેશન સર્જરી સારવાર વગેરે હરસ મસા માટે સારવાર પદ્ધતિ પ્રચલિત છે.

હરસની સારવાર માટે આપણા માનસમાં પ્રર્વતિ પ્રચલીત ગેરમાન્યતા-અંધશ્રદ્ધાઃ  જેમ કે હરસને શરીર પર ડામ દેવાથી મટાડી શકાય છે.  ઘણા લોકો માનતા / દિવા માને છે.  હરસને મંત્રાવે છે. મંત્રેલી ચા પીવે છે.  હરસને પાણીમાં બેસાડીને ખેરવી નાખે છે. મંત્રેલ પાણીમાં બેસાડે છે.  હરસ ચેકીંગ વગર (તપાસ્યા વગર), દુઃખાવા વગર, ઓપરેશન વગર, પોસ્ટથી દવા મોકલવી જેવી લોભાણમણી જાહેરાતથી દર્દીને છેતરે છે. તેનાથી દુર રહેવું જોઇએ. કારણ કે તપાસ્યા વગર સારવાર કરવાથી ઘણી વાર હરસ-મસા ન હોય અને બીજા ઘણા કારણોની - મળમાર્ગમાં લોહી પડે છે. જેમ કે આંતરડાનું અલ્સર, અલ્સેરેટીવ કોલાઇટીસ-લીવરના રોગ, કેન્સર, ફીસર જેવા ઘણા કારણોથી મળમાર્ગમાં લોહી પડે છે. તેથી તપાસ્યા વગર નિદાન કરાવ્યા સિવાય સારવાર લેવાથી ઘણા દર્દીઓ માટે ઘાતક નીકળે છે.  જાતે સેલ્ફ દવા લેતા હોય છે ગમે ત્યાંથી જે તે દવા લેવી ડાઙ્ખકટરની સલાહ વગર દવા લેવી હિતાવહ નથી.

(1:15 pm IST)