Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કોર્પોરેટર બાબુભાઇ આહિર ના માતુશ્રી સ્વ. ધકુબેન ને શ્રધ્ધાંજલી અર્ર્પતા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા ૨૦ : તાજેતરમાં રાજકોટ મહાનગર પાલીકા વોટર વર્કસ સમિતી નાં  ચેરમેન અને વોર્ડ નં.૧ ના કોર્પોરેટર બાબુભાઇ આહિરના માતુશ્રી સ્વ. ધકુબેન બીજલભાઇ મકવાણા નું અવસાન થયેલ, જેના સંદર્ભે ગુજરાત રાજય ના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી એ સાંત્વન આપી શ્રધ્ધાંજલી પાઠવી હતી.

આ પ્રસંગે રાજકોટ ના સંસદ સભ્ય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા તેમજ દિલીપભાઇ પટેલ, દુર્ગાબેન જાડેજા, જયદિપસિંહ જાડેના, વોર્ડ પ્રમુખરસિકભાઇ બદ્રકીયા, મહામંત્રી કાનાભાઇ સતવારા સહિત ભાજપના અગ્રણીઓ પણ સાથે રહી સોૈ એ સ્વ. ધકુબેન બીજલભાઇ મકવાણા ને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

(4:30 pm IST)