Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જામનગર રોડની ફૂટપાથ પર અજાણ્યા પ્રૌઢની 'જિંદગીની સફર'નો અંત

મૃતક ઘણા દિવસોથી અહિ જ સુઇ રહેતા'તાઃ વાલીવારસની શોધ

રાજકોટઃ જામનગર રોડ પર રેલ્વે હોસ્પિટલની સામેના ભાગે ફૂટપાથ પર ઘણા દિવસોથી સુઇ રહેતા અજાણ્યા પ્રૌઢ વયના પુરૂષની લાશ મળી આવતાં ૧૦૮ અને પોલીસ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ પ્રૌઢ ઘણા દિવસોથી અહિ સુઇ રહેતા હતાં. લોકો તેને નાસ્તો-ભોજન-ચા આપતાં હતાં. આજે અચાનક તેણે દમ તોડી દીધો હતો. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. કોઇ વાલીવારસ પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:11 pm IST)