Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં શુક્રવારે ચાતુર્માસ પરીવર્તન

રાજકોટ,તા.૨૦: આગામી તા.૨૩ને શુક્રવાર સવારે ૬ કલાકે શ્રી જાગનાથ આરાધના ભવનથી પ.પૂ.આ.દેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરીશ્વરજી મ.સા. આદી સાધુ- સાધ્વીજી ભગવંતોનું 'ચાતુર્માસ પરીવર્તન' યોજાશે તથા શ્રાવક- શ્રાવિકાઓ વાજતે- ગાજતે શ્રી નિલેશભાઈ પ્રવિણચંદ્ર શાહ ''પુષ્કર એપાર્ટમેન્ટ'' ૨૨,ન્યુ જાગનાથ ખાતે પધારશે.

શ્રી શત્રુંજય પટ્ટદર્શન ક્રિયા તથા પ.પૂ. આ ભગવંત માંગલિક પ્રવચન ફરમાવશે. ત્યારબાદ ઉપસ્થીત શ્રાવક- શ્રાવકાઓ માટે તેમના નિવાસસ્થાને નવકારશીનું આયોજન કરાયું છે. નિલેશભાઈ પ્રવિણચંદ્ર શાહ પરીવારને પરીવર્તનનો લાભ મળેલ છે. શ્રી સંઘ ભૂરી ભૂરી અનુમોદના કરે છે. તેમ સંઘ પ્રમુખ દિનેશભાઈ પારેખે યાદીમાં જણાવ્યું છે.

(3:02 pm IST)