Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ફેબ્રુઆરીમાં પતિત પાવન ભગવાનની જન્મજયંતિઃવિનામૂલ્યે ૧૦૮ યજ્ઞોપવિત સંસ્કાર

સર્વજ્ઞાતિ બટુકોએ નામ નોંધાવી દેવાઃ ભવ્ય આયોજન

રાજકોટ,તા.૧૯: શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) દ્વારા શ્રી૧૦૮ યજ્ઞોપવિતનું આયોજન પ.પૂ.શ્રી પતિત પાવન ભગવાનશ્રીની જન્મજયંતિ મહોત્સવ નિમિતે તા.૧૧/૨/૨૦૧૯, સોમવારનાં રોજ કરવામાં આવશે.

આ યજ્ઞોપવિત સંસ્કાર પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ ૧૯૬૨માં શ્રી સદ્દગુરૂ સદન આાશ્રમમાં બાળકોને આપ્યા હતા, ફરી આવો અલૌકિક પ્રસંગ તથા ઘડી શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટનાં આગણે તા.૧૧/૨/૨૦૧૯ને સોમવાર શ્રી પતિત પાવન ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવનાં મંગલ દિવસે આવી રહ્યો છે તથા યજ્ઞોપવિત પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીએ બતાવેલ વિધિ વિધાનપૂર્વક વિદ્ધાન શાસ્ત્રીઓ દ્વારા કરાવામાં આવશે.

આ યજ્ઞોપવિતમાં કોઈપણ પરિવાર કે વ્યકિત પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવશે નહી, જેમને પોતાનાં બાળક કે ઘરનાં સભ્યને યજ્ઞોપવિત આપવાની છે, તેઓએ વહેલા તે પહેલાનાં ધોરણે નામ નોંધવી જવા તથા આ યજ્ઞોપવિત વિનામૂલ્યે હોય અને ૧૦૮ યજ્ઞોપવિત રાખેલ હોય તથા સર્વજ્ઞાતિ બટુક માટે હોય વહેલા તે પહેલાને ધોરણે નામ નોંધવામાં આવશે તથા આ નામ વિનામૂલ્યે જ નોંધવામાં આવશે. નામ નોંધવવા માટે તા.૧૯ સોમવારથી તા.૩૧ જાન્યુ.ગુરૂવાર સુધીમાં શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ, ડોનેશન વિભાગમાં નામ નોંધાવી જવા યાદી જણાવે છે.

(3:26 pm IST)