Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભોજન-વસ્ત્રનું વિતરણ

વર્લ્ડ ફુડ ડે નિમિતે રાજકોટ દાઉદી વ્હોરા જમાત અંજુમને ઇઝઝી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને ભોજન અને કપડાનું વિતરણ કરાયુ હતુ. આ વિતરણમાં ઇઝઝી મોહલ્લાના આમીલ સાહેબ જનાબ અલીઅસગરભાઇ, કુત્બી મોહલ્લાના અમીલ સાહેબ જનાબ શેખ ઝોહરભાઇ, હસનેનભાઇ રંગવાલા (મુન્નાભાઇ), અલીઅસગર ચૌહાણ, મોહંમદભાઇ ધનકોટ, અલીઅસગરભાઇ નગરીયા, મોહંમદભાઇ કાલાવડવાલા, નુરૂદીનભાઇ પટેલ, ફખરૂદીનભાઇ, હુનેદભાઇ રંગવાલા વગેરે સાથે જોડાયા હતા. તેમ શેખ યુસુફભાઇ જોહરકાર્ડસવાળાની યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)