Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નવાગામની મહિલાની મોરબી રોડ ઉપરની જમીન પચાવી પાડતા પોલીસમાં ફરીયાદ અરજી

રાજકોટ તા.ર૦ : અત્રે નવાગામ આણંદપરમાં શકિત સોસાયટીમાં રહેતા ચંપાબેન મોહનભાઇ કુંભારે મોરબી રોડ ઉપર આવેલ પોતાની કિંમતી જમીન પચાવી પાડયાની ક્રાંઇમ બ્રાંચ રાજકોટને અરજી આપીને ગુનો દાખલ કરવા માંગણી કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ફરીયાદી ચંપાબેન મોહનભાઇ કુંભાર, ઉ.પુખ્ત, રહે. રાજકોટ, ડો/ઓ. મોહનભાઇએ અરજ કરૃં છું કે, અમારી વારસાઇ બાપ-દાદાની મીલ્કત મોરબી રોડ ઉપર આવેલ સીટી સર્વે નં. ૩૪ પૈકી ૧ જે ર એકર અને પ ગુંઠા છે. જેમાં અમે ખેતી કરૃં અમારૃં ગુજરાન ચલાવતા હતા.આ જમીન રાજુ ગોસ્વામી અને રમેશ પેંડાવાળા, પ્રભાબેન નાથાભાઇ રૈયાણી, કૈલાશગીરી દેવગીરી ગોસ્વામીએ સાચા-ખોટા કાગળો કરી અને અમારી મિલ્કત પડાવી લીધી છે અને અમોને અવાર નવાર ધાકધમકીઓ આપે છે. જેના ત્રાસથી અમે ઝેરી દવા પી લીધેલ અને મરવાનો પ્રયાસ કરેલ. પરંતુ ભગવાનની દયાથી અમે બચી ગયેલ. રાજુ ગોસ્વામી, રમેશભાઇ પેંડાવાળા, પ્રભાબેન નાથાભાઇ રૈયાણી, કૈલાશગીરી દેવગીરી ગોસ્વામી જે ગરીબ માણસોની મીલ્કત પચાવી પાડેછે. આ લોકોનો આ જ ધંધો  છે. આ લોકોના ત્રાસથી અમારી જેમ ઘણા લોકો દવા પી અને આપઘાત કરેલ છે.અને મરવાનો પ્રયાસ કરેલ છે. આ રાજુ ગોસ્વામી ઉપર ઘણા કેસ થયેલ છે અને તે અન્ય ગુન્હાઓમાં પણ સામેલ હોય છે. આ લોકો ગરીબ માણસોની જમીનોના સાચા-ખોટા કાગળો કરી જમીનો પડાવી લેવાનો જ ધંધો કરે છે. જેમાં રમેશ પેંડાવાળા, પ્રભાબેન, કૈલાશગીરી આ રાજુ ગોસ્વામીના ભાગીદાર હોવાનું જણાવીએ તેણીએ ફરીયાદ અરજી કરેલ છે.

(2:56 pm IST)