Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

''ભાઇ હું ધર્મિષ્ઠાબા નથી, ઉવર્શીબા છું''

કોંગ્રેસનાં ગેરલાયક ઠેરવાયેલ ધર્મિષ્ઠાબા જાડેજા જેવું જ કદ કાઠી ધરાવતાં ઉવર્શીબા જાડેજાને ભુલથી પોલીસે જનરલ બોર્ડમાં પ્રવેશ કરતાં અટકાવ્યા હતા જો કે બાદમાં તેઓ જનરલ બોર્ડમાં પહોંચ્યા હતાં તો બોર્ડમાં પણ મેયર બીનાબેન, નીતિનભાઇ ભારદ્વાજ વગેરેએ ઉવર્શીબાને ધર્મિષ્ઠાબા સમજી લઇ બહાર જવા અપીલ કરી હતી તે વખતે ઉવર્શીબા જાડેજાએ ભારપૂર્વક જનરલ બોર્ડને જણાવ્યું હતું કે ''ભાઇ હું ધર્મિષ્ઠાબા નથી ઉવર્શીબા છું'' ત્યારે બોર્ડમાં ઉપસ્થિત ભા.જ.પ.નાં આગેવાનોએ વાત માનતા મામલો થાળે પડયો હતો. જે તસ્વીરમાં દર્શાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:12 pm IST)