Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

માલીયાસણ રામધામ આશ્રમ પાછળ અજાણ્યા વૃધ્ધનું મોત

મૃતક વૃધ્ધ જામનગરના ભાસ્કરભાઇ જાની હોવાનું જાણવા મળતા કુવાડવા પોલીસે વાલી વારસની શોધખોળ આદરી

રાજકોટ,તા. ૨૦: કુવાડવા રોડ માલીયાસણ ગામ પાસે આશ્રમ પાછળ એક અજાણ્યા વૃધ્ધનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ માલીયાસણ ગામ પાસે રામધણ આશ્રમ પાછળ તા. ૧૭ના રોજ એક અજાણ્યા (ઉવ.૮૦) બીમારી સબબ બેભાન હાલતમાં પડ્યા હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હોવાનું હતી. જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ જે.કે.પાંડાવદરા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મૃતક વૃધ્ધનું નામ ભાસ્કરભાઇ જેન્તીલાલભાઇ જાની (રહે. જામનગર) નામ જાણવા મળતા તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્ધના વાલી વરસ હોય તો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન મોબાઇલ નં. ૯૫૩૭૮ ૨૪૯૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(4:03 pm IST)