Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

દીવાનપરામાં બીમારી સબબ અજાણ્યા વૃધ્ધનું મોત

મૃતક વૃધ્ધનું નામ રમેશભાઇ છનાભાઇ જાણવા મળતા પોલીસે તેના વાલીની શોધખોળ

રાજકોટ તા. ર૦ : દિવાનપરા મેઇન રોડ પર બીમારી સબબ અજાણ્યા વૃધ્ધનું મોત નિપજતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ દિવાનપરા મેઇન રોડ પર આશરે ૬૦ વર્ષના અજાણ્યા વૃધ્ધ બીમારી સબબ બેભાન હાલતમાં પડેલ હોઇ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તેને સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકના પી. એસ. આઇ. એસ. એચ. નીમાવતે તપાસ કરતા વૃધ્ધનું નામ રમેશભાઇ છનાભાઇ (ઉ.વ.૬૦) જાણવા મળતા તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. મૃતક વૃધ્ધે બ્લ્યુ કલરનો ચેકસ વાળો શર્ટ તથા બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલ છે. જો કોઇ આ વૃધ્ધના સગા-સંબંધી હોય તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(4:02 pm IST)