Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

શહેર પોલીસે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મુર્તિનું વિસર્જન કર્યુ

રાજકોટઃ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ખાતે દસ દિવસના ગણપતિજીનું સ્થાપન કરાયું હતું. ગઇકાલે પોલીસ હેડકવાર્ટર અંબાજી મંદિર ખાતે કુંડમાં પોલીસ કિ મશનરશ્રી મનોજ અગ્રવાલના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું. માટી અને છાણમાંથી બનાવાયેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિના વિસર્જન બાદ  તુરત જ પાણીમાં મુર્તિ ઓગળી ગઇ હતી. એ પાણી ઝાડ છોડમાં ખાતર તરીકે આપવામાં આવ્યું હતું. વિસર્જન પહેલા બાપ્પાની આરતી કરવામાં આવી હતી. જેસીપી ખુરશીદ અહેમદ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી હેડકવાર્ટર જી.એસ. બારૈયા, પીઆઇ વી.કે. ગઢવી તથા અન્ય સ્ટાફ પણ સામેલ થયો હતો. અગલે બરસ તું જલ્દી આ...ના નાદ સાથે વિસર્જન કરાયું હતું. શહેર પોલીસે ઇકો ફ્રેન્ડલી મુર્તિનું જ સ્થાપન કરવા અને વિસર્જન કરવા સંદેશો આપ્યો હતો. 

(3:15 pm IST)