Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રાજકોટના આંગણે શ્રી યમુના મહારાણીજીના 41 પદ પર આજથી બે દિવસીય વચનામૃત

પૂ, વૈષ્ણવાચાર્ય જયદેવલાલજીના શ્રીમુખેથી રસપાનનો લ્હાવો

રાજકોટ : રાજકોટના આંગણે શ્રી વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને અનેરો અવસર પ્રાપ્ત થયો છે શ્રી વલ્લભાચાર્ય સેવા સંઘ રાજકોટ દ્વારા શ્રી યમુના મહારાણીજીના 41 પદ પર વચનામૃતનું બે દિવસીય આયોજન થયું છે જેમાં પૂ,ગો,શ્રી જયદેવલાલાજી ( કડી -અમદાવાદ-દિલ્હી ) ના શ્રીમુખેથી વચનામૃતનો લ્હાવો આપશે 

 આજે અને આવતીકાલે કે,જી, ધોળકિયા સ્કૂલ ( ઓડિટોરિયમ ) બીગબજારથી આગળ,નાનામવા ચોક પાસે ,બાલાજી હોલ વાળો રોડ,150 ફૂટ રિંગ રોડ રાજકોટ ખાતે રાત્રે 7-30 થી 10-30 દરમિયાન શ્રી યમુના મહારાણીજીના 41 પદ પર વચનામૃત રાખેલ છે

વધુ વિગત માટે ચંદુભાઈ ( મોં, 98982 08176 ) નિકુંજભાઈ ( મોં, 84699 99670 ) અથવા અલ્પેશભાઈ ( મોં, 98983 72428 ) નો સંપર્ક સાધી શકાય સિઘગે

(1:20 pm IST)