Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સર્વેશ્વર ચોકમાં રાત્રે 'કસુંબીનો રંગ' : કાલે અન્નકોટ

રાજકોટ : સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા સર્વેશ્વર ચોકના આંગણે  મહાઆરતી દર્શનનો ભાવિકો લાભ લઈ ધન્યતા અનુભવી રહી છે. ગઈકાલે હાસ્યના વાવાઝોડામાં કલાકારો ગુણવંત ચુડાસમા અને ચંદ્રેશ ગઢવી દ્વારા હાસ્યનો રસ પીરસવામાં આવેલ. તમામ દર્શનાર્થીઓને ચીપ્સ અને પેટીસની પ્રસાદી આપવામાં આવેલ. આજે રાત્રે ૯ વાગ્યે કસુંબીનો રંગ પીરસાશે. જેમાં નીધિ ધોળકીયા, દિપક જોષી, જયેશ દવે, અમી ગોસાઈ, તેજસ શીશાંગીયા અને સાથોસાથ ૩૬ કલાકારોના કાફલા સાથેનો એક અદ્દભૂત કાર્યક્રમ રાખેલ છે. તેમજ આવતીકાલે ગણપતિનો અન્નકોટ ધરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા કેતન શાપરીયા, જતીન માનસતા, સમીર દોશી, અનિલ તન્ના, અતુલ કોઠારી, ગુલાબસિંહ જાડેજા, ઝીણુભા, શૈલેન્દ્ર પરમાર, દિલીપસિંહ, કુમારભાઈ, જયેશભાઈ, વિજયભાઈ, હિતેશભાઈ, સુધીરસિંહ, ચંદ્રસિંહ, ચેતનસિંહ, ગગજા, ભયકુ, જયેશ સ્વામી, અન્નો, કમલેશભાઈ, સમીરભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:00 pm IST)